પોતાના પ્રિય લેખકને મળવાનો આનંદ અને ઉત્સાહ કોને ન હોય? એમાંય તમારી આસપાસના સ્થળો અને લોકો સાથે જોડાયેલા સર્જકને તેમણે જે જગ્યાઓ વર્ષો પહેલા જોઈ હતી ત્યાં લઈ જવાનો, એ સ્થળો પરની તેમની સજીવન થતી યાદોના સાક્ષી બનવાનો આનંદ અનોખો જ હોય છે.
‘સમુદ્રાન્તિકે’ વાંચ્યા બાદ ધ્રુવભાઈ ભટ્ટની સાથે શિયાળબેટ પર જવાની અદમ્ય ઇચ્છા અને તેમની આંખે વર્ષો પહેલાના શિયાળબેટ, સવાઈબેટ અને ભેંસલાની યાદો જોવાની, ભૌગોલિક ફેરફારો વિશે જાણવા-સમજવાની ઇચ્છા તેમણે સામેથી પૂરી કરી આપી. અને ગત મહીને ધ્રુવભાઈ, અદીતિબેન અને દેવવ્રતભાઈ સાથે પીપાવાવથી હોડી કરીને સવાઈબેટ પર જવા નીકળ્યા.
રસ્તામાં ધ્રુવભાઈ સાથે ઘણી વાતો થઈ, ‘સમુદ્રાન્તિકે’ વિશે, તેમાં આલેખાયેલ સ્થળો વિશે, ‘અકૂપાર’ વિશે, ‘ગીર’ વિશે અને ‘લીલાપાણી’ નેસ વિશે, કાના વિશે, અકૂપારના નાટક વિશે, સમુદ્રાન્તિકેના નાટકની તૈયારીઓ વિશે, વર્ષો પહેલાના શિયાળબેટ અને સવાઈબેટ વિશે… આમ અનેક વાતો થઈ. Continue reading