દાવડા સાહેબની ‘મળવા જેવા માણસ’ શ્રેણીમાં મારો પરીચય…

શ્રી પી. કે. દાવડા સાહેબની ઈ-મેલ શ્રેણી ‘મળવા જેવા માણસ’ ના એક મણકામાં તેમણે મારો વિગતે પરીચય અને અક્ષરનાદની વાત મૂકી. મારા જેવા પાર્ટ ટાઈમ શોખ ખાતર અક્ષરનું સેવન કરતા માણસ માટે તો આ ખૂબ મોટી વાત કહેવાય. વળી તેમની આ શ્રેણીમાં અત્યાર સુધી જેમનો પરિચય આવ્યો  છે એ બધાંય વડીલો છે, ઉંમરના એક એવા પડાવ પર પહોંચ્યા છે જે અનુભવમાં અને સમજણમાં મારાથી ક્યાંય મોટા છે…

આ બદલ દાવડા સાહેબનો આભાર… ઉપરાંત આ લેખની પીડીએફ અને વર્ડ ફાઈલ બનાવી, મઠારીને અનેકો સુધી પહોંચાડવાનો યત્ન કરનાર શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો પણ આભાર. આ પરિચયને અનેક બ્લોગરમિત્રો વડીલોએ તેમના બ્લોગ પર સ્થાન આપ્યું છે એ બદલ એ સર્વેનો. વળી ઈ-મેલ દ્વારા પ્રતિભાવો આપનાર મિત્રોનો પણ આભાર.

મને જાણ છે ત્યાં સુધી આ પરિચય નીચેના બ્લોગ્સ પર મૂકાયો છે.. આ સિવાય પણ જો હોય તો મને જાણ કરશો, કડી ઉમેરી દઈશ..

શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ પર

શ્રી વિજયભાઈ શાહની વેબસાઈટ પર

શ્રી ગાંડાભાઈ વલ્લભના બ્લોગ પર

આ સમગ્ર ઉપક્રમ બદલ દાવડા સાહેબને તથા પ્રચાર-પ્રસાર બદલ ઉત્તમભાઈને નતમસ્તક..

2 thoughts on “દાવડા સાહેબની ‘મળવા જેવા માણસ’ શ્રેણીમાં મારો પરીચય…

Leave a comment